આજની આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે દરેક લોકો નાની મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આજના સમયમાં પેટની સમસ્યાથી મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે. ઘણા લોકો ભોજન લીધા પછી તેમનું પેટ ફૂલેલું કે સતત કડક રહે છે તેવી ફરિયાદ કરતા હોય છે.
પરંતુ શું તમે ક્યારેય અનુમાન કર્યું છે કે શેના કારણે પેટ વારંવાર ફૂલી જતું હોય છે? આ વારંવાર પેટ ફૂલી જવાને અંગ્રેજીમાં બ્લોટિંગ કહેવાય છે. આ સમસ્યા એ ખુબજ સામાન્ય હોય છે તથા આ સમસ્યા ઘણા લોકોને પણ હોય છે. આ સમસ્યામાં તમારું પેટ ભરેલું લાગે છે તથા પેટ ભારે ભારે પણ લાગે છે.
પેટ ફૂલી જવાના કારણો : જો પેટ ફૂલી જવા પાછળનું સૌથી પહેલું અને સામાન્ય વિશે વાત કરીએ તો તે છે ગેસ થવાથી. ઘણી વખત એવું બને છે કે આપણે મોડા ખાતા હોઈએ છીએ ત્યારે ગેસ બનવાનું શરુ થઇ જતું હોય છે. આ સિવાય ઘણી વખત કોઈ દવા કે રીએક્શનના કારણે પણ પેટમાં ગેસ થવાનું શરુ થઇ જતું હોય છે. જો તમે મીઠું અને કાર્બોહાઈડ્રેટનું વધુ પડતું સેવન કરો છો ત્યારે પણ પેટમાં ગેસ થઇ પેટ ફૂલી જતું હોય છે.
વધુ પડતું કાકડીનું સેવન કરવું : પાણીનો સૌથી સારામાં સારો સ્ત્રોત કાકડી કહી શકાય છે. કાકડીમાં 95% પાણી હોય છે જે લોકો બ્લોટિંગની સમસ્યાથી સતત હેરાન પરેશાન થતા હોય તો તેને કાકડીનું સેવન કરવાથી સારો એવો ફાયદો થાય છે. જે લોકોને બ્લોટિંગની સમસ્યા હોય તેમને કાકડીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.
દહીં : દહીંમાં પ્રોબાયોટીક્સ સારા એવા પ્રમાણમાં મળી રહે છે, તે એક પ્રકારે બેક્ટેરિયા છે જેને શરીર માટે અને ખાસ કરીને પેટ માટે ખુબજ સારું માનવામાં આવે છે. દહીં ખાવાથી ખાધેલું ભોજન સરળતાથી પચી જાય છે અને પેટની સમસ્યાઓ થતી નથી.
મેથી : મેથી જેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. આ મેથી રોજ પેટને સાફ કરી શકે છે. આ માટે રોજ રાત્રે સુતા પહેલા મેથીના દાણાને એક વાટકીમાં પલાળીને બીજા દિવસ સવારે મેથીને ચાવી ચાવીને ખાઈ જવી અને તે પાણી પી જવું. આમ કરવાથી પેટ જાય છે અને પેટની સમસ્યાઓ થતી નથી.
આદુ ખાવાથી રાહત થાય છે : આપણે ત્યાં આદુનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે, જે પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. જો કે આદુનું સેવન મોટા ભાગે બધા લોકો શિયાળામાં સૌથી વધુ પ્રમાણમાં કરતા હોય છે. આદુ શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે. શિયાળામાં આદુને ચામાં નાખીને પણ તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.
તમને જણાવીએ કે આદુમાં ઝીન્ગીબેઇન નામનું તેમાં એન્ઝાઈમ જોવા મળે છે. જે પ્રોટીનને સરળતાથી તોડી નાખવાનું કામ કરે છે, પરિણામે જેની મદદથી પાચનમાં સમસ્યા રહેતી નથી.