અળસીના નાના બીજમાં ઘણા ગુણો છુપાયેલા છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે. આ સાથે આ બીજમાં કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, ફેટ, એમિનો એસિડ, મેગ્નેશિયમ અને પ્રોટીન પણ હોય છે. આ બીજનું સેવન અનેક રોગોનો સામનો કરવામાં અસરકારક છે. આ બીજ ખાવાથી મેદસ્વિતાને નિયંત્રણમાં રાખવા ઉપરાંત ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓથી પણ બચી શકાય છે.

કબજિયાત રાહત : અળસીના બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર બંને હોય છે. જે મળને સખત બનતા અટકાવે છે, તેનાથી કબજિયાત થતી નથી અને જો કબજીયાતની તકલીફ છે તો મળત્યાગમાં કોઈ સમસ્યા થતી નથી. તમે આ બીજને એમજ ખાઈ શકો છો અથવા તમે તેને સલાડ, શાકભાજી, ફ્રુટ ચાટ, લસ્સી અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકો છો. તમે અળસીનો લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.

ડાયાબિટીસમાં ફાયદાકારક : અળસીના બીજમાં લિગ્નિન તત્વ હોય છે જે લોહીમાં સુગર લેવલને ઓછું કરે છે. તેથી શુગરના દર્દીઓએ ખાસ કરીને આ બીજને તેમના આહારમાં સામેલ કરવા જોઈએ.

વજન ઘટાડવામાં મદદરૂપ : મુઠ્ઠીભર અળસીના બીજ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે બિનજરૂરી ખોરાક ખાવાનું ટાળો છો. તેનાથી વજન ઘટે છે. તમે સવારે નાસ્તા પછી અથવા સાંજે નાસ્તા તરીકે આ બીજનું સેવન કરી શકો છો.

કોલેસ્ટ્રોલ ઓછું કરે : અળસીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. અળસીમાં ફાઈબર ઉપરાંત એવા તત્વો જોવા મળે છે જે પિત્ત એસિડને એકસાથે બાંધવાનું કામ કરે છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ સરળતાથી ઓછું થવા લાગે છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *