આપણે ઘણીવાર આપણી આસપાસ રહેલા લોકો નિષ્ણાતો પાસેથી સાંભળીએ છીએ કે નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે. તેથી તેને ટાળવું ન જોઈએ અમે પુષ્કળ પ્રમાણમાં લેવું જોઈએ. આ સાથે જ એ પણ કહેતા હોય છે કે રાત્રે કેટલીક વસ્તુઓ ખાવી ન જોઈએ. આ ઉપરાંત રાત્રિભોજન હંમેશા હળવું લેવું જોઈએ અને મધ્યરાત્રિએ ભૂલ લાગે તો ઉભા થઈને ખાવાનું ટાળવું જોઈએ.
વાસ્તવમાં, રાત્રે સૂતા પહેલા કેટલીક વસ્તુઓ ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને જે લોકો આ ખરાબ ટેવો અપનાવે છે તેમને હાર્ટબર્ન, ગેસની સમસ્યા, અપચો, અનિદ્રાની ફરિયાદ, પેટમાં દુખાવો અને વજન વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આવો જાણીએ કઈ વસ્તુઓનું સેવન રાત્રે ટાળવું જોઈએ.
મસાલેદાર અને ચીકણો ખોરાક હાનિકારક સાબિત થાય છે: રાત્રિભોજનમાં ખાધેલું ચીકણું, તળેલું-મસાલેદાર ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આ સિવાય માંસ અથવા પ્રોટીન વસ્તુઓ જેવી કે ચિકન, ચીઝ ખાવાનું પણ રાત્રે ટાળવું જોઈએ.
આ એટલા માટે કારણ કે સૂતી વખતે આપણા શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે આપણને ઊંઘવામાં પણ તકલીફ થાય છે. જો તમે તેને ક્યારેક ખાઓ છો, તો જમ્યા પછી 30 મિનિટ ચાલવાનો પ્રયાસ કરો.
રાત્રે દહીં-સલાડ ખાવાનું ટાળો: આપણા સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી, સલાડ, કેળા, સફરજન અને દહીં જેવા ઘણા ફળો અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેમને રાત્રે ક્યારેય ખાવા ન જોઈએ. આ વસ્તુઓનું સેવન રાત્રે નુકશાનકારક સાબિત થઇ શકે છે.
તમને જણાવીએ કે શાકભાજી અને ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણી પાચન પ્રક્રિયાને ધીમી કરે છે. રાત્રે દહીંનું સેવન કરવાથી પણ પાચનતંત્ર પર અસર પડે છે. તેથી આ વસ્તુઓ રાત્રે ના ખાવી જોઈએ.
ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો : જે લોકો તેમની મોટાભાગની રાત હોટેલ, પાર્ટી કે બહાર ખાવામાં વિતાવે છે. તેમને હંમેશા પાચન સંબંધી સમસ્યાઓ હોય છે, આ જ કારણ છે કે જે લોકો બહાર ખાય છે તેઓ મોટાભાગે મસાલેદાર જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે, જેને પચાવવા માટે આપણા પાચન તંત્રને સખત મહેનત કરવી પડે છે. તેથી રાત્રે પીઝા, પાસ્તા, નૂડલ્સ અને ચાઈનીઝ જેવી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ.
રાત્રે આલ્કોહોલનું સેવન ટાળો: રાત્રે દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તે ન માત્ર આપણા પાચનતંત્રને જ અસર કરે છે, પરંતુ આપણી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આ સાથે જ, જે લોકો રાત્રે દારૂ પીવે છે તેમનું વજન સામાન્ય લોકો કરતા વધુ ઝડપથી વધે છે.
જો તમે પણ રાત્રે બહાર જઈને ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા જણાવેલી કેટલીક વસ્તુઓનું સેવન ટાળો અને હંમેશા હળવો ખોરાક ખાવાનું પસંદ કરો.