સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોની યોગ્ય માત્રા જરૂરી છે, જે ખાવા-પીવામાંથી શરીર શોષી લે છે. પરંતુ ખરાબ જીવનશૈલી અને બીમારીઓના કારણે આ ક્ષમતા ઘટી શકે છે. આ કિસ્સામાં, સમગ્ર સિસ્ટમ રીસેટ કરવા માટે ડિટોક્સીફિકેશન જરૂરી છે. જો કે તમે દવાઓની મદદથી પણ કરી શકો છે. પરંતુ નેચરલ ડિટોક્સનો વિકલ્પ વધુ પસંદ કરવામાં આવે છે.
શરીરને ડિટોક્સ કરવાથી શું થાય છે? તેનાથી લોહી શુદ્ધ થાય છે. માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે, ભૂખ અને તૃષ્ણાઓ, પીડા ઘટાડે છે. આ સિવાય હોર્મોન્સનું સંતુલન, ઊંઘમાં સુધારો, પાચન અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા જેવા ફાયદા છે. કીડની, ફેફસા, લીવર જેવા મહત્વના અંગો પણ ગંદકી સાફ કરવામાં મદદ કરે છે.
ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રા જણાવે છે કે નેચરલ ડિટોક્સ ડ્રિન્ક લોકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ડિટોક્સ ડ્રિન્કની અસર તેમાં રહેલા ઘટકોના ગુણધર્મો પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં, અહીં જણાવેલી ડિટોક્સ ડ્રિન્ક રેસિપી શરીરમાંથી ગંદકી દૂર કરવાની સાથે ઘણા સ્વાસ્થ્યપ્રદ ફાયદા પણ આપી શકે છે.
View this post on Instagram
કાકડી + ફુદીનો + આદુ + લીંબુ: ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે આ એક શક્તિશાળી ડિટોક્સ પીણું છે. જેમાં જ્યાં લીંબુ કુદરતી ડિટોક્સિફાયર છે. તે ઝેરી તત્વોને બહાર કાઢવાની સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે . ફુદીનો પાચન માટે સારું છે. કાકડીમાં 96% પાણી હોય છે, જે શરીરને વધારાનું હાઇડ્રેશન પ્રદાન કરે છે. જ્યારે, આદુ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, અને પાચનમાં મદદ કરે છે, પેટને સાફ રાખે છે.
કેવી રીતે સેવન કરવું: કાકડી, ફુદીનો, આદુ, લીંબુના કેટલાક ટુકડાને પાણીમાં મિક્સ કરો અને બરાબર હલાવો. આ મિશ્રણને આખી રાત અથવા ઓછામાં ઓછા 4 કલાક માટે રહેવા દો. હવે તેને ગાળીને તેનું સેવન કરો.
ધાણા પાણી: ધાણાનું પાણી કુદરતી મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં શરીરની તમામ ગંદકી પેશાબના માર્ગે નીકળી જાય છે. આ ઉપરાંત, તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને લીવરને સ્વસ્થ રાખે છે, જે ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે પહેલાથી જ મૂત્રવર્ધક દવા લઈ રહ્યા છો, તો તેનો ઉપયોગ ટાળો.
કેવી રીતે સેવન કરવું : 1 ચમચી ધાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. અથવા ધાણાને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. તેને ગાળીને દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરો.
સફરજન-તજ પાણી: સફરજન તજનું પાણી મેટાબોલિઝમ બૂસ્ટર તરીકે કામ કરે છે. સફરજન-તજ એ એન્ટિઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સનો ઉત્તમ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને હૃદય રોગને અટકાવે છે. આ સિવાય તેમાં રહેલા પોષક તત્વો શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે.
કેવી રીતે સેવન કરવું: એક ગ્લાસ પાણીમાં સફરજનના ટુકડા અને 1 તજ નાખીને થોડા કલાકો સુધી રહેવા દો. પછી તેનું સેવન કરો.
સ્ટ્રોબેરી અને લીંબુ: નિષ્ણાતો કહે છે કે સ્ટ્રોબેરી અને લીંબુ મિક્સ કરીને પાણી પીવું શરીરને ડિટોક્સ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ઉપરાંત, તે બળતરા ઘટાડવામાં અને ઇન્સ્યુલિનનું સ્તર જાળવવામાં મદદ કરે છે. આ સાથે જ, તેની સાથે લીંબુ પાચનમાં મદદ કરે છે અને શરીરના પીએચ સ્તરને સંતુલિત કરે છે.
કેવી રીતે સેવન કરવું: સ્ટ્રોબેરી અને લીંબુના કેટલાક ટુકડાને એક ગ્લાસ પાણીમાં 3 થી 4 કલાક પલાળી રાખો. હવે તેને આખા દિવસ દરમિયાન થોડું થોડું પીવો.
જીરા પાણી: જીરાના પાણીમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ ઔષધીય ગુણો હોય છે, જે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. આ સાથે તેના સેવનથી મેટાબોલિઝમ વધે છે અને ભૂખ લાગવા લાગતા હોર્મોન્સ નિયંત્રિત રહે છે. જેના કારણે તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.
કેવી રીતે સેવન કરવું: રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો.