અત્યારે શિયાળાની સીઝન એટલે કે બોરની સિઝન ચાલી રહી છે. બોર એક મોસમી ફળ છે જે સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. શિવરાત્રિમાં ભગવાન શિવને વિશેષ રીતે બોરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
બોર કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે. જયારે અડધા કાચા હોય છે ત્યારે તે પીળા રંગના હોય છે અને પાકે ત્યારે લાલ થઈ જાય છે. પાકેલા મીઠા આલુ વધુ ફાયદાકારક છે. જે ખાવાથી શરીરને શક્તિ મળે છે, લોહી શુદ્ધ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. પાકા બોરનું સેવન અન્ય ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે.
1. કબજિયાત દૂર કરવામાં ફાયદાકારક : બોરનું સેવન કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બોર માં રહેલા ફાઈબરને કારણે માત્ર કબજિયાત જ નહીં પરંતુ પાચન તંત્ર સાથે જોડાયેલી અન્ય ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
2. હૃદયને સ્વસ્થ રાખે છે : બોર ખાવું પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક સાબિત થાય છે. બોર માં ફાયટોકોન્સ્ટીટ્યુએન્ટ્સની સારી માત્રા હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે.
3. સોજાની સમસ્યા દૂર થાય છે : આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બોરમાં બળતરા વિરોધી તત્વો હોય છે, જે શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે. શિયાળામાં સાંધામાં દુખાવો થવાનું એક કારણ સોજો પણ છે, તેથી આવી સ્થિતિમાં બોરનું સેવન કરવું ફાયદાકારક રહેશે.
4. રક્ત પરિભ્રમણ સુધારે છે : બોરનું સેવન શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા નાઈટ્રિક એસિડને કારણે બ્લડ સેલ્સ સ્વસ્થ રહે છે. જ્યારે રક્ત પરિભ્રમણ સુધરે છે, ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને ચહેરો પણ ચમકે છે.
5. આંખોની રોશની તેજ બને છે : બોરમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ શરીરની સાથે આંખોને પણ સ્વસ્થ રાખે છે. આંખોને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવા ઉપરાંત તેને ખાવાથી આંખોની રોશની પણ વધે છે.
જોકે શહેર કરતા ગામડામાં બોર વધુ ખાવામાં આવે છે કારણકે ગામડે બોરડીઓ વધુ જોવા મળે છે. જો તમે પણ શિયાળામાં બોરનું સેવન કરો છો તો તમને અહીંયા જણાવેલ ફાયદાઓ થઇ શકે છે.