મિત્રો આજનું ખુબજ ઝડપી જીવન, બદલાયેલા પર્યાવરણ, પ્રદુષણ અને ભેળસેળવાળી ચીજ વસ્તુઓના કારણે આપણે અવાર નવાર ઘણી બધી નાની મોટી બીમારીઓનો શિકાર બનીએ છીએ. આવી જ એક બીમારી છે ગોઠણ નો દુખાવો જે આજકાલ ખુબજ વધી રહી છે. સામાન્ય રીતે આ સમસ્યા મહિલાઓને અને મોટી ઉંમરના વ્યક્તિઓને વધારે થતી જોવા મળે છે.

પરંતુ આજે નાની ઉંમરના જુવાન લોકોમાં પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તો આજે આ લેખમાં અમે તમને જુનામા જુના ગોઠણના દુખાવો જડમૂડથી દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિષે જણાવીશું. તો આવો જાણીએ આ ઉપાયો વિષે.

ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે 1 ચમચી હળદર, 1 ચમચી મધ અને ચપટી ચૂનો આ ત્રણ વસ્તુ બરાબર મિક્સ કરી, તેને ઘુંટણ પર લગાવો. આ પેસ્ટને રાત્રે સૂતા સમયે જ અસરગ્રસ્ત જગ્યા પર લગાડો. આ પેસ્ટની ઘુંટણ પર ઓછામાં ઓછી 10 મિનિટ સુધી માલિશ કરી, ત્યારબાદ હળવું કપડું બાંધી દો. સવાર ઉઠીને હુફાળા પાણીથી તેને ધોઈ લો. આ ઉપાયથી ઘુંટણના દુખાવામાં 100% આરામ મળશે.

પ્રાચીન સમયથી પારિજાતનો ઉપયોગ કરવામાં આવે છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે. ઘૂંટણના દુખાવાને દૂર કરવા પારિજાત ના 10 પાંદડાં ને એક પેનમાં 2 ગ્લાસ પાણી નાખી સારી રીતે ઉકાળો. ત્યાર પછી આ ઉકાળાને થોડું ઠંડુ થવા દો અને ઠંડુ થાય પછી આ ઉકાળાની બે ચમચી રાતે સૂતા પહેલા પીવો. આમ કરવાથી પણ તમારો ઘૂંટણનો દુખાવો દૂર થઇ જશે.

ઘૂંટણના દુખાવાને દૂર કરવા એક વાસણમાં સૂંઠનો પાવડર લો અને તેમાં સરસવનું તેલ સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ઘુંટણ પર લગાવીને થોડી મિનિટ હળવા હાથે માલિશ કરો. થોડા સમય પછી તેને સાફ કરી લો. આ મિશ્રણ તમારા ઘૂંટણ ના અસહ્ય દુખાવાને થોડા જ દિવસોમાં મટાડી દેશે.

2 ગ્લાસ પાણીમાં સરગવાની છાલને નાખી આ પાણી નો ચોથો ભાગ રહે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ આ ઉકાળા ને પાણીમાં નાખી મિશ્રણ કરી લેવું અને ચોખ્ખા કપડા વડે ગાળી લેવું અને આ મિશ્રણને ધીરે ધીરે ઘૂંટડે ઘૂંટડે પીવું. આ પાણી સવારે અને સાંજે 2 – 2 ચમચી પીવો. આ પાણી પીવાથી પણ તમને ઘુંટણ ના દુખાવા માં આરામ મળશે.

4 બદામ, 4 ખજૂર, 2 અખરોટ અને 10 થી 12 દ્રાક્ષ આ ચાર વસ્તુ ને રોજ રાત્રે પાણીમાં પલાળી સવારે નરણા કાંઠે તે બધી વસ્તુને ચાવી ચાવી ને ખાઈ લો. ત્યારબાદ ગરમ દૂધ પી લો. આ ઉપાય થોડા દિવસ કરવાથી પણ ઘુંટણ નો દુખાવો દૂર થઈ જશે.

તમે જાણતા જ હશો કે મેથીનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદમાં દવા તરીકે થાય છે. એક ચમચી મેથી ને રાત્રે એક વાટકી પાણીમાં નાખી પલાળી લેવી અને સવારે તે મેથી ને ચાવી ચાવીને ખાઈ જવી અને તેનું પાણી પણ પી જવું. મેથી નો આ ઉપાય કરવાથી તમારા ઘુંટણ દુખાવા દૂર થઇ કબજિયાની સમસ્યા પણ કાયમી દૂર થઈ જશે.

આ સાથે જ તમને જણાવીએ કે ઘુંટણ ના દુખાવાનું સૌથી મોટું કારણ ઊભા રહીને પાણી પીવાની ખોટી આદત પણ છે. જો તમે પણ આ રીતે પાણી પીતા હપય તો તમારે આ આદત બદલવી પડશે. તમારે બેસીને જ પાણી પીવું જોઈએ અને નિરાંતે ઘૂંટડે ધુંટડે પીવું જોઈએ જેથી ઘુંટણનો અને સાંધાનો દુખાવો નહીં થાય.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *