હળદર ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હળદરમાં ઘણા ઔષધીય ગુણો છે, જેને આયુર્વેદમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તેમાં હાજર બળતરા વિરોધી ગુણો સાંધાના સોજા, દુખાવા વગેરેમાં રાહત આપે છે. જો તમને શિયાળામાં સાંધાના દુખાવાની ઘણી સમસ્યા રહેતી હોય તો આ સ્થિતિમાં તમે હળદરનો ઉપયોગ કરી શકો છો અને રાહત મળેવી શકો છો.
આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે સાંધા અને ઘૂંટણના દુખાવા માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ચાલો જાણીએ કે ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો?
ઘૂંટણના દુખાવા માટે હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો?: હળદરની ચા: ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે હળદરની ચા લઈ શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે. આ માટે 1 કપ પાણી ઉકાળો. તેમાં કાચી હળદર, 1 થી 2 કાળા મરીના દાણા અને લવિંગ ઉમેરીને બરાબર ઉકાળો. જ્યારે પાણી અડધુ રહી જાય ત્યારે તેને ગાળીને પી લો. તેનાથી ઘૂંટણમાં દુખાવો અને સોજો ઓછો થશે.
હળદરવાળું દૂધ : ઘૂંટણના દુખાવાની સમસ્યામાં રાહત મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરી શકાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં 1 ચપટી હળદર મિક્સ કરો. હવે આ દૂધનું સેવન કરો. તેનાથી સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળશે.
હળદરની પેસ્ટ : સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે તમે હળદરની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટથી દુખાવો અને સોજામાં રાહત મળે છે. આ માટે 1 હળદરને સારી રીતે પીસી લો. તેમાં થોડું સરસવનું તેલ મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. આ પછી તેને કોટનના કપડાથી બાંધી દો. લગભગ 2 થી 3 કલાક પછી પાટો ખોલો.
~
સાંધા અને ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે આ રીતે હળદરનો ઉપયોગ કરી શકો છો. જો કે, ધ્યાનમાં રાખો કે જો તમારી સમસ્યા ખૂબ વધી રહી છે, તો આ સ્થિતિમાં કોઈ નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
જો તમને સાંધાના દુખાવા માટે હળદરના અહીંયા જણાવેલ પ્રયોગ પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.