શરીરને સારી કાર્ય કરવું હોય તો શરીરમાં હોમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. જયારે શરીરમાં લોહીની ઉણપ થાય છે ત્યારે શરીરમાં નાની મોટી બીમારી થવાનું જોખમ વઘી જાય છે. કારણકે હિમોગ્લોબીન શરીરના દરેક અંગોને કાર્યશીલ બનાવામાં મદદ કરે છે.
તમને જણાવીએ કે શરીરમાં હીમોગ્લોબિનનું કામ ફેફસાંથી કોશિકાઓ સુઘી ઓક્સિજન પહોંચાડવાનું અને કોશિકાઓથી ફેફસા સુઘી કાર્બનડાયોક્સાઈડને પહોંચાડવાનું છે. પરંતુ જો શરીરમાં આયર્નની ઉણપ થાય છે ત્યારે શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર પણ ઘટવા લાગે છે.
અને આ સાથે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણમાં પણ ઘટવા લાગશે. પરંતુ આહારમાં કેટલીક વસ્તુનું સેવન કરીને તમે શરીરમાં હિમોગ્લોબીનના સ્તરને નિયંત્રિત કરી શકો છો. તો આવો જાણીએ કે હિમોગ્લોબિન વઘારવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
આયર્નથી ભરપૂર ખોરાક ખાઓ : શરીરમાં આયર્નની ઉણપના કારણે હિમોગ્લોબીન સ્તરમાં ઘટાડો થાય છે. આ સ્તરને નિયંત્રિત કરવા લીલા શાકભાજી, ખજૂર, બદામ, કિસમિસ, અનાજ, કઠોળ, લાલ માસ, વગેરેમાં આયર્નથી ભરપૂર વસ્તુઓ ખાઓ. જો તમે આહારમાં થોડા દિવસો આ બઘી વસ્તુનું સેવન કરો છો તો આયર્ન ની ઉણપ દૂર થાય છે અને હિમોગ્લોબીનમાં વઘારો થાય છે.
વિટામન-સી યુક્ત આહાર: શરીરમાં આયર્નની જેમ વિટામિન-સી યુક્ત આહાર લેવો પણ ખુબ જ જરૂરી છે. માટે જો તમે વિટામિન-સીથી ભરપૂર આહારનું સેવન કરી શકો છો. વિટામિન-સીથી ભરપૂર આહારનું સેવન શરીરમાં આયર્નનું શોષણ પણ કરવામાં મદદ કરશે. માટે વિટામિન-સીથી ભરપૂર લીંબુ, મોસંબી, આમળાં, સ્ટ્રોબેરી વગેરેનું સેવન કરી શકો છો.
બીટ: બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફાયબર, પોટેશિયમ, ફોલિકએસિડ, જેવા પોષક તત્વો મળી આવે છે. માટે બીટની સેવન કરવાથી શરીરમાં લાલ રક્તની સંખ્યામાં વઘારો થાય છે. જેથી આયર્નની ઉણપ દૂર થાય છે. માટે બીટને સલાડમાં કે પછી તેનો જ્યુસ બનાવીને તમે પી શકો છો.