મિત્રો તમને જણાવીએ કે આજની આપણી ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓમાં એક છે લોહીનું જાડું થવું. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિનું લોહી સામાન્ય કરતા વધુ જાડું થઈ જાય છે, ત્યારે ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

તમને જણાવીએ કે મેડિકલ ભાષામાં જાડા લોહીને હાઈપરકોએગ્યુલેબિલિટી કહેવાય છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જે લોકોનું લોહી જાડું હોય છે, તેમને પણ લોહીના ગંઠાવાનું વધુ જોખમ રહે છે અને પછી આ લોહીના ગંઠાવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.

આ ઉપરાંત જ્યારે શરીરમાં લોહી સામાન્ય કરતા ખૂબ જાડું થઈ જાય છે, ત્યારે શરીરમાં જતા ઓક્સિજન, હોર્મોન્સ અને પોષક તત્વોની અવરજવરમાં પણ અવરોધ આવે છે, જેના કારણે શરીરને ઘણી નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે.

લોહી જાડું થવાના કારણો: મિત્રો હૃદય રોગના નિષ્ણાતોના મતે વધુ પડતા પરસેવાને કારણે લોહી સામાન્ય કરતા જાડું થઈ જાય છે કારણ કે તે લોહીમાં કોલેસ્ટ્રોલની ચરબી વધી જાય છે, જેનાથી ગંઠાઈ જવાની સંભાવના રહે છે.

જાડા લોહીના લક્ષણો: ઘણા લોકો શરીરમાં લોહી ગંઠાઈ જણાવા શરૂઆતના તબક્કામાં જોવા મળતા લક્ષણો ઓળખી શકતા નથી. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે શરીરમાં દુખાવો થાય છે. વારંવાર માથાનો દુખાવો થાય છે. આ ઉપરાંત જાડું લોહી થવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે, આંખોમાં દુખાવો, જોવામાં નબળાઇ સાથે શરીરમાં વધુ પડતી ખંજવાળ પણ લોહી જાડું થવાના લક્ષણો છે.

લોહી ગંઠાઈ જવાની સમસ્યા: શરીરમાં લોહી જાડું થવાના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે જેમ કે હાર્ટ એટેક, સ્ટ્રોક, નબળું હૃદય અને કિડની ફેલ થવાનું જોખમ વગેરે.

લોહી પાતળું કરવા માટે શું કરી શકીએ છીએ : લસણ: લસણનો ઉપયોગ ભોજનમાં ઘણી બધી રીતે કરવામાં આવે છે. લસણ સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે. તમને જણાવીએ કે લસણમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. એટલે કે લસણ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. આ માટે દરરોજ લસણની એક થી બે કળી દરરોજ સવારે ખાલી પેટ ખાઈ શકો છો. આ સિવાય તેની પેસ્ટ બનાવીને પણ ખાઈ શકાય છે.

ડુંગળી: ભોજનમાં ઉપયોગમાં લેવાથી ડુંગળીમાં પણ લોહીને પાતળું કરવાનો ગુણ રહેલો હોય છે. ડુંગળીના નાના નાના ટુકડા કરીને મીક્સરમાં નાખીને તેનો રસ કાઢી. તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરી શકાય છે. આ ઉપાયથી લોહી પાતળું થઇ શકે છે.

વરીયાળી અને સાકર: લોહી પાતળું કરવા માટે વરીયાળી અને સાકરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે બંનેને ભેળવી, આ મિશ્રણને એક થી બે મહિના સુધી દરરોજ સવાર સાંજ લેવાથી લોહિ પાતળુ કરી શકો છો.

જાડા લોહીને કારણે થતી ગંભીર સમસ્યાઓને ટાળવા માટે લોહીને સામાન્ય એટલે કે પાતળું બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોહીને પાતળું કરવા માટે, દરરોજ 40 થી 50 મિનિટ કસરત કરો અને વધુને વધુ પાણી પીવો, તજ અને દ્રાક્ષનું સેવન કરવાથી પણ જાડું લોહી પાતળું થઈ શકે છે, આ સિવાય સમયાંતરે ડૉક્ટર પાસે તપાસ કરાવતા રહો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *