ખજૂર પોષક તત્વોથી ભરપૂર છે, તેની તાસીર ખૂબ જ ગરમ હોય છે. એટલા માટે શિયાળામાં ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તમને જણાવી દઈએ કે ખજૂરમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય ખજૂર કેલરી, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમનો પણ સારો સ્ત્રોત છે.
ખજૂરમાં કોપર, મેંગેનીઝ, આયર્ન અને બી વિટામિન પણ હોય છે. આમ તો ખજૂર સીધી ખાઈ શકાય છે. પરંતુ ઘણા લોકો ખજૂરને હલવાના રૂપમાં ખાય છે, જ્યારે ઘણા લોકો તેને લાડુના રૂપમાં ખાય છે. આ સિવાય જો તમે ઈચ્છો તો દૂધમાં મિક્ષ કરીને ખજૂર પણ ખાઈ શકો છો.
દરરોજ દૂધ અને ખજૂર એકસાથે ખાવાથી તમારા શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. તેનાથી તમને દૂધ અને ખજૂરમાં રહેલા તમામ પોષક તત્વો એકસાથે મળી જશે. તમે ખજૂરને દૂધમાં પલાળીને ખાઈ શકો છો. તો આવો જાણીએ ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને ખાવાના ફાયદા.
સ્નાયુઓ વિકસિત થશે : જો તમે દૂધમાં પલાળેલી ખજૂર ખાશો તો તમારા સ્નાયુઓનો વિકાસ ઝડપથી થશે. ખજૂર અને દૂધ બંનેમાં પ્રોટીન હોય છે, જે તમને સ્નાયુઓ મેળવવામાં મદદ કરી શકે છે. તેની સાથે દૂધમાં કેલ્શિયમ અને ખજૂરમાં મેગ્નેશિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. એટલે કે ખજૂર અને દૂધનું મિશ્રણ સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવી શકે છે.
એનિમિયાના લક્ષણોમાં ઘટાડો કરે: એનિમિયા એક એવી સમસ્યા છે જેમાં શરીરમાં લોહીની ઉણપ હોય છે. આ સ્થિતિમાં દર્દીને થાક, નબળાઈ જેવા લક્ષણોનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમે દરરોજ રાત્રે દૂધમાં ખજૂર પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી તેને ખાશો તો તમે એનિમિયાના લક્ષણોને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. ખજૂરમાં હાજર આયર્ન એનિમિયાના લક્ષણોને ઘટાડી શકે છે .
પાચનને સરળ બનાવે: જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ તમે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાઈ શકો છો. ખરેખર, ખજૂરમાં વધુ ફાયબર જોવા મળે છે, તેથી તે આંતરડાને મજબૂત બનાવે છે. તે આંતરડાની ગતિને પણ સરળ બનાવે છે. ખજૂર ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં ઘણી હદ સુધી રાહત મળે છે. તેનાથી કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
સાંધાના દુખાવામાં રાહત મળે છે: દૂધમાં કેલ્શિયમ હોય છે. જ્યારે ખજૂરમાં મેગ્નેશિયમ અને વિટામિન B6 મળી આવે છે. આવી સ્થિતિમાં જો તમે સવારે દૂધમાં પલાળેલી ખજૂર ખાશો તો તેનાથી તમારા હાડકાં મજબૂત થશે. દરરોજ દૂધમાં પલાળેલી ખજૂર ખાવાથી પણ તમે સાંધાના દુખાવામાં રાહત મેળવી શકો છો .
~
વજન વધારવામાં મદદરૂપ: જો તમે પાતળા અને નબળા છો તો તમે દૂધમાં પલાળેલી ખજૂર ખાઈ શકો છો. ખજૂરમાં વધુ માત્રામાં કાર્બોહાઇડ્રેટ, કેલરી જોવા મળે છે, જે વજન વધારવામાં મદદ કરી શકે છે. જે લોકો વજન વધારવા માંગે છે તેઓ દરરોજ ખજૂર અને દૂધનું સેવન કરી શકે છે. જો તમે રોજ દૂધમાં પલાળેલી ખજૂર ખાઓ છો તો તેનાથી તમારું વજન ધીમે-ધીમે વધી શકે છે.
દૂધમાં પલાળેલી ખજૂર કેવી રીતે ખાવી?: તમે દૂધમાં પલાળેલી ખજૂર ખાવાથી અગણિત ફાયદા મેળવી શકો છો. આ માટે રાત્રે એક ગ્લાસ નવશેકું દૂધ લો. તેમાં 4 થી 5 ખજૂર નાખીને સવાર સુધી આમ જ રહેવા દો. હવે સવારે ઉઠીને આ દૂધને ઉકાળો અને પછી ખજૂર ખાઓ. તમે આ દૂધ પણ પી શકો છો. જો તમે ઈચ્છો તો દૂધમાં પલાળેલી ખજૂરને ઉકાળ્યા વગર ખાઈ શકો છો.