મિત્રો આજકાલ ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે ઘણી ગંભીર બીમારીઓ વધવા લાગી છે. હાર્ટએટેક પણ આ સમસ્યાઓમાંથી એક ગંભીર બીમારી છે. આ સમસ્યા અચાનક આવતી સમસ્યા છે, જેના લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. આ સમસ્યાથી સારામાં સારો વ્યક્તિ જે તમારી પાસે ઉભો છે કે વાત કરે છે તે પણ થોડીક ક્ષણોમાં મૃત્યુ પામે છે.
તમને જણાવીએ કે હાર્ટએટેક હ્રદય સાથે જોડાયેલી ગંભીરમાં ગંભીર બીમારી છે. જેનાથી આજકાલ જુવાન ઘણા લોકો પ્રભાવિત છે. આ ગંભીર રોગ થવા પાછળ આજની આધુનિક જીવનશૈલી, વધુ તણાવ અને અન્ય કારણોને લીધે આ સમસ્યા સર્જાય છે.
તમને જણાવીએ કે આ ગંભીર બીમારીના અમુક લક્ષણો પહેલા જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો આ લક્ષણોને નકારી કાઢે છે અને ગંભીરતાથી લેતા નથી, જેના લીધે અચાનક હાર્ટએટેક આવી જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હાર્ટએટેક રોગ અમુક પ્રકારના બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે પ્રમાણમાં થાય છે. માણસમાં ટોટલ આંઠ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. જેમાં બ્લડ ગ્રુપ A, બ્લડ ગ્રુપ B, બ્લડ ગ્રુપ AB, બ્લડ ગ્રુપ O પોઝીટીવ અને નેગેટીવ એમ 8 પ્રકારના હોય છે. જેમાં O નેગેટીવ ધરાવતા લોકોમાં હાર્ટએટેકની સંભાવના સૌથી વધુ રહે છે. તેથી આ લોકોને વધારે સાવધાન રહેવાની જરૂર છે.
આમ અન્ય ગ્રુપની સરખામણીએ O નેગેટીવ બ્લડગ્રુપના લોકોમાં હાર્ટએટેક આવવાનો ખતરો વધારે હોય છે. O નેગેટીવ વાળા લોકો કરતા બ્લડ ગ્રુપ A કે B વાળા લોકોમાં આ સમસ્યા ઓછા પ્રમાણમાં હોય છે. એમાં આંઠ લોકોમાં 8 % હાર્ટ એટેક આવવાના રિસ્ક વધારે હોય છે.
આ પછી બ્લડ ગ્રુપ B ધરાવતા લોકોમાં બ્લડ ગ્રુપ A કરતા હાર્ટએટેકની સંભાવના રહે છે. તેમજ બ્લડ ગ્રુપ A વાળા લોકોમાં O બ્લડગ્રુપ વાલા લોકોની અપેક્ષામાં 11 % હાર્ટ ફેલીયોરનો ખતરો વધારે રહેતો હોય છે. માટે આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ વધુ ધ્યાન રાખવાની જરૂર વધારે રહે છે.
વ્યક્તિને હાર્ટ એટેક આવવા માટે અમુક કારણો જવાબદાર હોય છે. જેમાં વ્યસ્ત જીવન, ખાવાનો ખોટો સમય અને વધુ જંકફૂડ અથવા વધારે મસાલેદાર ભોજન લેવાને લીધે હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા લોકોને બ્લડ પ્રેસર વધવાને લીધે હ્રદય પર તાણ આવે છે જેના લીધે હાર્ટ એટેક આવે છે.
ઘણા લોકો કોઈ આર્થિક કારણો જેવા કે પૈસાની તંગી અને પારિવારિક બાબતો તેમજ માનસિક કારણોને લીધે આખો દિવસ તણાવમાં રહેતા હોય છે. જેની સીધી અસર મગજ પર પડે છે જેના લીધે પણ અચાનક જ હાર્ટએટેક આવી જાય છે. આ સિવાય જે લોકો ધુમ્રપાન જેમ કે બીડી, સિગારેટ આલ્કોહોલનું સેવન કરે છે તેને પણ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. આ ઉપરાંત સામાન્ય કરતા વધુ વજન ધરાવતા લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યા રહેતી હોય છે.
આમ, આ લોકોએ બીજા લોકો કરતા વધુ સાવધાની રાખવી જોઈએ. જેથી અચાનક આવતી આવી ગંભીર મુશ્કેલીથી બચી શકાય. કોઈ પણ એક વ્યક્તિના જીવનને લીધે ઘણા લોકોને તેની અસર પડે છે. જે પરિસ્થિતિ પ્રમાણે આવીં સંભાવના ધરાવતા લોકોએ હાર્ટ એટેક આવવાની સંભાવના વધે તેવા કાર્યો ટાળવા જોઈએ.