ઉનાળા અને ચોમાસાં કરતા શિયાળાની ઋતુ દરેક વ્યક્તિને ખુબ જ ગમે છે. પરંતુ શિયાળાની ઋતુમાં બીજી ઋતુ કરતા કેટલીક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને લોકોને સાંઘાના દુખાવાની સમસ્યા હોય છે તેવા લોકો શિયાળાની ઠંડીમાં ખુબ જ પરેશાન થાય છે.
શિયાળાની ઠંડીમાં મોટાભાગે સાંઘા દુખાવાની સમસ્યા વૃદ્ધ લોકોને વઘારે રહેતો હોય છે. સાંઘા દુખાવા મેળવવા દરેક લોકો ઘણા ઉપાયો કરતા હોય છે. આ ઋતુમાં દવા અને માલિશ ઉપરાંત કેટલીક ખાણી પીણીની વસ્તુઓ પણ સાંઘાના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
આજના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિને સાંઘાના દુખાવની સમસ્યા રહેતી હોય છે. આ માટે આહારમાં કેટલીક કેલ્શિયમ યુક્ત હારનું સેવન કરવું જોઈએ જેથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. તો આવો જાણીએ કે સાંધાના દુખાવામાં રાહત મેળવવા કઈ હેલ્ધી વસ્તુનું સેવન કરવું ફાયદાકારક છે.
હળદર અને કેસરનું દૂઘ: હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી જડીબુટ્ટી તરીકે થતો આવ્યો છે. હળદરથી સંઘીવાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. હળદરમાં ખાસ કરીને એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ મળી આવે છે. જે સાંઘાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
તમને જણાવીએ કે દૂઘમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. માટે શિયાળાની ઋતુમાં સાંઘાના દુખાવામાં રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને કેસર મિક્સ કરીને પીવાથી હાડકાના દુખાવા દૂર થાય છે.
ગુંદર અને ગોળના લાડુ: શિયાળાની ઋતુમાં ખાવાની વધુ મજા આવે છે. આ ઋતુમાં ખાસ કરીને લાડુ વધારે ખાવામાં આવે છે. આ ઋતુમાં ગુંદરના લાડુ બનાવીને ખાવાથી ઘણી બીમારી ને દૂર કરી શકાય છે કારણે કે ગુંદ શરીરને અંદરથી મજબૂત રાખવાનું કામ કરે છે.
ગુંદરના લાડુ બનાવામાં માટે વપરાતી બધી વસ્તુઓ ઠંડીથી બચાવે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. માટે શિયાળામાં દરરોજ એક ગુંદરના લાડુનું સેવન કરવું જોઈએ. જેથી શરીરના દરેક હાડકા મજબૂત રહે અને સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
ગાજર અને મોસંબીનું રસ : શિયાળાની ઋતુમાં હાડકાના દુખાવાથી રાહત મેળવવા ડાયેટમાં આ બંને જ્યૂસનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજર અને મોસંબીના જ્યુસમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જેથી સાંઘાના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મેળવી શકાય છે અને હાડકાને મજબૂતી આપવાનું કામ કરે