આપણે લસણનો ઉપયોગ શાકભાજીમાં અને વિવિધ પ્રકારની વાનગી બનાવવા માટે કરીએ છીએ. લસણ રસોઈ નો સ્વાદ વધારે છે. લસણનો ઉપયોગ પારંપરિક ચિકિત્સામાં ઔષધી રૂપે પણ કરવામાં આવે છે. જો લસણને દેશી ઘી સાથે શેકીને તેનું સેવન કરવામાં આવે તો તેના ગુણો વધી જાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તો આજે અમે તમને આ લેખમાં લસણને ઘીમાં શેકીને ખાવાથી સ્વાસ્થ્યને થતા અનેક પ્રકારના ફાયદા વિશે જાણીશું.
સૌ પ્રથમ તમને જણાવીએ કે લસણમાં વિટામીન બી, વિટામીન એ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ જેવા તત્વો હાજર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી બેકટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટી ફંગલ ગુણ ઉપલબ્ધ હોય છે. જે અનેક બીમારીઓ અને સમસ્યાઓમાં ફાયદાકારક છે.
લસણને ઘી માં શેકીને ખાવાથી શરીરની અનેક નાની મોટી બીમારીઓમાં ફાયદો થાય છે. લસણ અને ઘી માં હાજર ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. લસણ અને ઘીનું સેવન પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ તેના બીજા ફાયદાઓ વિષે.
1) હૃદય:- લસણને ઘીમાં શેકીને ખાવું હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખવા માટે તથા બીમારીઓથી બચવા માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજે જો લસણને ઘીમાં શેકીને ખાવામાં આવે તો તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહેશે. આ સિવાય હૃદયથી જોડાયેલી બીમારીઓના જોખમને પણ દૂર કરવામાં પણ ઘી માં શેકેલું લસણ ખૂબ જ ઉપયોગી છે.
2) કોલેસ્ટ્રોલ:- તમને જણાવીએ કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયથી જોડાયેલી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આવી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં લસણને ઘી માં શેકીને ખાવું ખૂબ જ લાભદાયી છે. રોજે લસણને ઘી માં શેકીને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી શકાય છે.
3) પેટ :– લસણનું સેવન પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પેટ સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવા માટે લસણને ઘી માં શેકીને ખાવું દવા જેવું કામ કરે છે. પેટની સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લસણને ઘી માં શેકીને ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.
4) શ્વાસ સંબંધિત સમસ્યાઓ:– લસણને ઘી માં શેકીને ખાવું શ્વાસ સંબંધિત બીમારીથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. શ્વાસ થી જોડાયેલી બીમારીઓ જેમ કે અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ વગેરેમાં લસણને ઘી માં શેકીને ખાવું લાભદાયી છે. શિયાળાની ઋતુમાં લસણને ઘીમાં શેકીને ખાવાથી અન્ય ઘણા ફાયદા થાય છે.