આજની ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે દરેક લોકો કોઈ ના કોઈ બીમારીથી કે સમસ્યાથી પીડાઈ રહ્યા છે. શરીરમાં થતી આ સમસ્યાઓ ઘણી વાર ગંભીર હોય છે જેમાં જીવ ગુમાવવાનો પણ વારો આવી જાય છે. આપણે શરીરમાં થતી નાની નાની સમસ્યામાં છું ધ્યાન આપે છે જે પાછળથી ગંભીર અથવા તો તે સમસ્યાની અસરથી વધુ પરેશાન થવું પડે છે.

આવી જ એક સમસ્યા છે જે ઘણા લોકોમાં જોવા મળે છે જેનું નામ છે વારે વારે હાંફ ચઢી જવો. હાંફ ચઢી જવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. ઘણા લોકોને 10 થી 15 પગથિયાં ચઢ્યા પછી અથવા તો વધુ ચાલ્યા પછી હાંફ ચઢી જતી હોય છે. હાંફ ચઢી જવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

જો તમે પણ હાંફ ચઢી જવાની દેખાતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમાંરે આ સમસ્યાથી છુટકાળો મેળવવાની જરૂર છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું જે ઉપાય કરીને તમે આ સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો. તો આવો જાણીએ આ ઉપાયો વિષે.

અનુલોમ વિલોમ કરવાથી તમારા શરીરની ઘણી સમસ્યા ઓછી થઈ શકે છે. જે લોકો કોરોના કાળમાં સંક્રમિત થયા હતા એવા લોકોમાં ખાસ કરીને શ્વાસની સમસ્યા જોવા મળે છે જેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પરંતુ અનુલોક વિલોમ કરવાથી તમે આ સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો.

તમને જણાવીએ કે અનુલોમ વિલોમ કરવાથી બંધ નાક ખૂલી જાય છે અને શ્વાસ નળીમાંથી યોગ્ય શ્વાસની આપ લે થઈ શકે છે. કોઈ પણ માણસ માટે શ્વાસની આપ લે સારી રીતે થવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો તમે દરરોજ 10 થી 15 મિનિટ અનુલોમ વિલોમ કરવાની ટેવ પાડો છો તો તમારી શ્વસન કાર્યમાં વધારો કરી શકાય છે.

અનુલોમ વિલોમ કરવાથી તમારી યાદ શકિતમાં પણ વધારો થઇ શકે છે અને સાથે સાથે શ્વાસ લેવામાં પડતી તકલીફમાંથી પણ એકદમ સુધારો થાય છે. આ ઉપરાંત અનુલોમ વિલોમ કરવાથી તણાવ અને થાકનો સામનો કરતા હોવ તો પણ રાહત થાય છે.

10 થી 15 મિનિટ અનુલોમ વિલોમ કરવાથી શરીરમાં લોહીનું સ્તર જળવાઈ રહે છે અને શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. આ સાથે તમારા મગજમાં સકારાત્મક વિચારો આવે છે અને ખોટા વિચારો દૂર થાય છે આ સાથે ડિપ્રેશન યુક્ત વિચારોથી પણ તમે છુટકારો મેળવી શકો છો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *