ફળો અને શાકભાજી આપણા સ્વસ્થ આહારનો મહત્વનો ભાગ છે. પોષક તત્વોથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરવાથી શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે. નિષ્ણાતો વારંવાર આહારમાં ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. જો તમે ફળો અને શાકભાજીનું સેવન કરી શકતા નથી, તો તમે તેમના જ્યુસનું સેવન કરી શકો છો.

જો તમને શાકભાજી નથી ભાવતી તો તમે તેના સ્વાદિષ્ટ જ્યુસ નું સેવન કરી શકો છો. શરીરને પોષક તત્વો આપવા માટે ફળો અને શાકભાજીના જ્યુસ શ્રેષ્ઠ વિકલ્પ છે. ન્યુટ્રિશનિસ્ટ અંજલિ મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એવા ત્રણ જ્યુસ વિષે જણાવ્યું છે જેનું સેવન દર બીજા કે ત્રીજા દિવસે કરવું જોઈએ.

આ ત્રણ જ્યુસનું સેવન કરવાથી શરીર સ્વસ્થ, ઉર્જાવાન અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આ ત્રણેય સ્વાસ્થ્ય સ્થિતિઓ શરીરના સારા સ્વાસ્થ્ય માટે મજબૂત આધારસ્તંભ છે. એક્સપર્ટે જણાવ્યું કે તુલસીનો જ્યુસ, તરબૂચનો જ્યુસ અને ગાજરનો જ્યુસ એવા જ્યુસ છે જે શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં અસરકારક છે.

નિષ્ણાતોએ એવું પણ સૂચન કર્યું છે કે આ જ્યુસનું સેવન કરવાની સાથે જંક ફૂડ, ખાંડ, વાયુયુક્ત પીણાં, પ્રોસેસ્ડ અને તળેલા ખોરાકનો વપરાશ ઓછો કરવો જોઈએ. તો આવો જાણીએ કે આ ત્રણ જ્યુસ શરીરને કેવી રીતે મજબૂત અને સ્વસ્થ બનાવે છે.

તુલસીનો જ્યુસ પીવોઃ નિષ્ણાતોના મતે તુલસીના પાનનો જ્યુસ પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. અસ્થમા, બ્રોન્કાઇટિસ, શરદી, ઉધરસ, સાઇનસની સમસ્યા, એસિડિટી, કબજીયાત અને તાવ માટે તે ઉત્તમ ઔષધિ છે. નિષ્ણાતોના મતે લીલા તુલસીના પાન કરતાં કાળા તુલસીના પાનમાં વધુ ઔષધીય ગુણ હોય છે. નિષ્ણતોના મતે તુલસી બ્લડ સુગર અને હાઈ બ્લડ પ્રેશર અને તણાવને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગાજરનો જ્યુસ પીવો: ગાજરના જ્યુસનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. નિષ્ણાતોના મતે ગાજરના જ્યુસમાં કેલ્શિયમ, વિટામિન એ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન B, C, D, E અને K પણ ઓછી માત્રામાં હોય છે. ગાજરનો જ્યુસએ પોષક તત્વોનું પાવરહાઉસ છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

ગાજરના જ્યુસનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન રહે છે, ભૂખને નિયંત્રિત કરે છે અને વજન વધારવામાં પણ અસરકારક છે. તે નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરે છે, ત્વચા, વાળ અને નખના સ્વાસ્થ્યને સુધારે છે અને લોહીને શુદ્ધ કરે છે.

તરબૂચના જ્યુસનું સેવન કરો: એક્સપર્ટે જણાવ્યું કે આ જ્યૂસ વોટર રિટેન્શન માટે બેસ્ટ છે. પોટેશિયમથી ભરપૂર તરબૂચનો જ્યુસ શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જો તમે પાણીની જાળવણીથી પીડાતા હોવ તો મીઠું, ખાંડ અને મેંદાના વધુ પડતો ઉપયોગ ટાળો.

Chhapavaro

Chhapavalo is a News website which shared Dharma, Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *